Gujarat24  /  Gujarat  /  Rajkot  /  

રાજકોટમાં તનિષ્ક જ્વેલર્સના સ્ટોર મેનેજરે 17 લાખની કરી ઉચાપત, તનિષ્ક જ્વેલર્સે કાઢી મૂકી ગ્રાહકના રૂપિયા ચૂકવ્યા

રાજકોટના 150 ફૂટરીંગ રોડ ઉપર આવેલા તનિષ્ક જવેલર્સના શો-રૂમના સ્ટોર મેનેજર નિલેષ ઘઘડાએ ગ્રાહકે દાગીના ખરીદવા માટે આપેલા રૂપિયા 17 લાખ ઓળવી ગયા હતા. બાદમાં તેને સ્ટોર મેનેજરને નોકરીમાંથી છૂટા કરી દૂઈ ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું હોવાનું તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું છે.

રાજકોટ તાલુકા પોલીસમાં સ્ટોર મેનેજર નિલેષ ઘુઘડા સામે નોંધાયેલી ફરિયાદના સંદર્ભના સંદર્ભમાં તનિષ્ક જવેલર્સ દ્વારા જણાવાયું હતું કે, આ ઘટનામાં સ્ટોર મેનેજરે કસ્ટમર ક્રેડિટ નોટનો દુરૂપયોગ કર્યો હોવાથી તેને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે.

તેમ જ ફ્રેન્ચાઈઝી પાર્ટનર અને ગ્રાહક કે જેની સાથે આ ઘટના બની હતી તેમના સહયોગથી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગ્રાહકને સંપુર્ણ વળતર ચુકવી દેવામાં આવ્યું છે. કંપની તથા ફ્રેન્ચાઈઝી પાર્ટનર બંન્ને તરફથી આ કેસમાં સમાધાન થઈ ગયું છે.