Ahmedabad: 2.67 કરોડ આયુષ્યમાન કાર્ડ ધારકો માટે આખરે હેલ્પલાઈન જાહેર, કાર્ડ બેલેન્સ સહિતની માહિતી મળશે

Ahmedabad News: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરુરી માહિતી માટે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્પ લાઈન કાર્યરત્ કરવામાં આવી છે. આયુષ્માન કાર્ડ અને તેના અંતર્ગત આપવામાં આવતી સેવાને લગતી કોઈપણ ફરિયાદ, સમસ્યા, માહિતી માટે હેલ્પલાઈન નંબર 07966440104 જાહેર કરાયો છે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

પ્રાપ્ત વિગતો અનુસાર આ હેલ્પલાઈનમાં દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવે છે. દર્દીને ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજીસ્ટર્ડ કરેલ નંબર પર મોકલવામાં આવશે. આ હેલ્પપલાઈનથી મળેલ ફરિયાદના નિવારણ માટે જિલ્લા-કોપીરેશન નોડલ તરીકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ઈન્સ્યોરન્સ કંપની, કાર્ડએપ્રૂવલ એજન્સીને એસએમએસ તથા ઈમેલમાં લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *