ટ્રેડિશનલ ફ્યૂલ પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે અદાણી ગ્રુપે છત્તીસગઢમાં માઈનિંગ લોજિસ્ટિક્સ માટે ભારતનો પ્રથમ હાઇડ્રોજન ટ્રક લોન્ચ કર્યો છે. 40 ટન સુધીનો માલ લઈ જવાની ક્ષમતા ધરાવતા આ ટ્રકને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ રાયપુરમાં લીલી ઝંડી આપી હતી. આ ટ્રકનો ઉપયોગ ગારે પાલ્મા બ્લોકથી રાજ્યના પાવર પ્લાન્ટ સુધી કોલસો લાવવા માટે કરવામાં આવશે.
અદાણી ગ્રુપનું કહેવું છે કે, આ હાઇડ્રોજન ટ્રક ધીમે ધીમે કંપનીના લોજિસ્ટિક્સ કામગીરીમાં હાલના ડીઝલ ટ્રકોનું સ્થાન લેશે અને આગામી સમયમાં તેમની સંખ્યામાં વધારો કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ હાઇડ્રોજનથી ચાલતો ટ્રક એક જ વારમાં 200 કિલોમીટરનું અંતર કાપી શકે છે. ત્રણ હાઇડ્રોજન ટાંકીઓથી સજ્જ, આ ટ્રક લોડ ક્ષમતા અને રેન્જમાં ડીઝલથી ચાલતા ભારે વાહનો સાથે સ્પર્ધા કરવા માટે બનાવાયેલો છે.
કંપનીનો દાવો છે કે, આ હાઇડ્રોજન ટ્રક ઉત્સર્જનને ઘણી હદ સુધી ઘટાડે છે. કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષકોનું ઉત્સર્જન કરતા પરંપરાગત ડીઝલ ટ્રકોથી વિપરીત, હાઇડ્રોજન ટ્રક ફક્ત પાણીની વરાળ અને ગરમ હવા ઉત્પન્ન કરે છે. જેને કોમર્શિયલ વાહન ક્ષેત્રમાં સૌથી સ્વચ્છ વિકલ્પ તરીકે જોવામાં આવે છે. આનાથી પ્રદૂષણમાં ઘણો ઘટાડો થાય છે.
હાઇડ્રોજન ફ્યુઅલ સેલ કેવી રીતે કામ કરે છે?
હાઇડ્રોજન ફ્યૂલ સેલ ઇલેક્ટ્રોકેમિકલ પ્રેસેસ દ્વારા કામ કરે છે. જે હાઇડ્રોજન અને ઓક્સિજનને વીજળીમાં રૂપાંતરિત કરે છે. જેમાં ફક્ત પાણી અને હીટના બાઈ-પ્રોડક્ટર તરીકે નીકળે છે. જ્યારે હાઇડ્રોજન ફ્યૂલ સેલમાં પ્રવેશ કરે છે, ત્યારે તે પ્રોટોન અને ઇલેક્ટ્રોનમાં વિભાજીત થાય છે. પ્રોટોન એક મેંબરેનમાંથી પસાર થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન સર્કિટ દ્વારા મોકલવામાં આવે છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળી વાહનની ઇલેક્ટ્રિક મોટરને શક્તિ આપે છે અને વાહન ચાલે છે. આ સમય દરમિયાન વાહનમાંથી ફક્ત એક જ વસ્તુ નીકળે છે અને તે છે પાણી.