Ahmedabad: નવરંગપુરામાં માત્ર 30 રૂપિયાના ભાડા માટે હત્યા, રિક્ષાચાલકે આધેડને પાછળથી ટક્કર મારી, પોલીસે 300 CCTV તપાસી કરી ધરપકડ

Ahmedabad: અમદાવાદના નવરંગપુરા વિસ્તાર આવેલા કળશ એપાર્ટમેન્ટ જૈન દેરાસર પાસે એક અજાણ્યા વ્યક્તિનો અકસ્માત થયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી CCTVની તપાસ કરતા એક રિક્ષાચાલકે તે વ્યક્તિને ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આરોપી ઝડપાયા બાદ ખુલાસો થયો હતો કે, આધેડ પાસે ભાડાના 30 રૂપિયા ના હોવાથી પાછળથી ટક્કર મારી કચડી નાંખ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃ અમેરિકામાં 10 લાખ લોકોએ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ શરૂ કર્યો, કડક નિર્ણયને લીધે અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન

મળતી માહિતી મુજબ, નવરંગપુરા પોલીસ અને DCP ઝોન-1 LCBના સ્ટાફે આશરે 300થી વધારે CCTV તપાસીને રિક્ષા નંબરના આધારે બોડકદેવ વિસ્તારમાં રહેતા રિક્ષાચાલકની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, મૃતક પાસે રિક્ષા ભાડાના 30 રૂપિયા ન હોવાથી આપવાની ના કહી હતી. જેથી ગુસ્સામાં રિક્ષાચાલકે અકસ્માત કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *