અમદાવાદમાં રમાનારી IPLની બીજી સેમિ ફાઈનલમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. મુંબઈ ઈન્ડિયન્સને સાતમી વખત અને પંજાબ કિંગ્સને માત્ર બીજી જ વખત IPLની ફાઈનલમાં પ્રવેશવાની આશા છે. ક્વોલિફાયર-ટુનો આવતીકાલનો મુકાબલો બેંગાલુરુ સામે રમનારી ફાઈનલની બીજી ટીમ નક્કી કરનારો બની રહેશે. સાંજે 7.30 વાગ્યાથી આ મુકાબલાનો પ્રારંભ થશે.
પંજાબ કિંગ્સને ક્વોલિફાયર-વનમાં બેંગાલુરુ સામે આઠ વિકેટથી નાલેશીભરી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ સામે 20 રનથી વિજય મેળવ્યો હતો. પંજાબના કેપ્ટન અયૈર સામે હારની હતાશામાંથી ટીમને બહાર લાવવાનો પડકાર છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીમ જીતનો જુસ્સો ટકાવી રાખવા માટે તૈયારી કરી રહી છે.