Somnath Shivratri Celebration: શ્રી સોમનાથ મંદિર, ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે વિશ્વભરમાં જાણીતું છે. મહાશિવરાત્રીના પાવન અવસર પર અહીં દેશ વિદેશમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ વર્ષે શિવરાત્રીના મહાપર્વ પર શ્રદ્ધાળુઓ માટે કલા સાથે આરાધનાના ઉદ્દેશ્યથી તારીખ 24થી 26 ફેબ્રુઆરી, 2025 દરમિયાન શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કલાના ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
ત્રિ-દિવસીય મહોત્સવની રૂપરેખા
દિવસ 01, 24મી ફેબ્રુઆરી
- ડૉ. સોનલ માનસિંહ (પદ્મ વિભૂષણ) દ્વારા ‘નાટ્યકથા હર હર મહાદેવ’ની પ્રસ્તુતિ
- કુ. સૂર્યાગાયત્રી દ્વારા શિવ ભજન
- વિદુષી રામા વૈધનાથન દ્વારા ‘નિમગ્ન’ની પ્રસ્તુતિ
- ડ્રમ્સ શિવમણિ અને શ્રી પંડિત રોનુ મઝુમદાર (પદ્મશ્રી) (કીબોર્ડ પર અતુલ રાણીંગા)ની જુગલબંધી
દિવસ 02, 25મી ફેબ્રુઆરી
- રામચંદ્ર પુલાવર (પદ્મશ્રી) દ્વારા શેડો પપેટ્રી શો
- વિદુષી સુધા રઘુરામન દ્વારા શાસ્ત્રીય સંગીતની પ્રસ્તુતિ
- કુમુદિની લાખિયા (પદ્મ વિભૂષણ) અને કદંબ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ
- અતુલ પુરોહિત દ્વારા ભજન
દિવસ 03, 26મી ફેબ્રુઆરી (શિવરાત્રી)
- સ્પર્શ સ્ટુડિયો કોર પર્ફોર્મિંગ આર્ટ્સ (શ્રીમતી સુમન સ્વરાગી) દ્વારા 8 શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો દ્વારા શિવ મહિમાની પ્રસ્તુતિ
- પંડિત વિશ્વમોહન ભટ્ટ (પદ્મ ભૂષણ) તથા પંડિત સલિલ ભટ્ટ દ્વારા ‘ડેઝર્ટ સ્લાઇડ્સ’ની પ્રસ્તુતિ
- પંડિત શશાંક સુબ્રમણ્યમ દ્વારા વાંસળી વાદન
- માઇસ્ટ્રો બિક્રમ ઘોષ દ્વારા “રિધમસ્કેપ”