Gujarat24  /  Gujarat  /  Gandhinagar  /  

CM ભૂપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા આયોજિત ગરબામાં સામેલ થયા, મા આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા

Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ‘IAS Wives Welfare Assosiation’ દ્વારા ગાંધીનગર ના સેક્ટર-19, જીમખાનામાં આયોજિત નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં આદ્ય શક્તિની આરતીમાં સહભાગી થયા હતા.

તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને શર્મિન રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને જ્યોત્સના જોશી, અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ તથા પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાય સાથે જગતજનની મા જગદંબાની ભક્તિ ભાવ પૂર્વક આરતી કરી હતી અને ત્યારબાદ ગરબા પણ નિહાળ્યા હતા. રાજ્યના વર્તમાન અને પૂર્વ વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓ અને તેમના પરિવારજનો આ ગરબા ઉત્સવમાં ઉમંગભેર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *