Salangpur Hanumanji: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ 12-02-2025ને બુધવારના રોજ અને પૂનમના પવિત્ર દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા ધરાવાયા છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે પૂર્ણિમા નિમિત્તે શ્રીકષ્ટભંજનદે હનુમિનજીને પ્યોર સિલ્કના કાપડમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈનવાળા અને જરદોશી વર્કવાલા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘા 20 દિવસનીળા વૃંદાવનમાં તૈયાર થયે મહેનતે 4થી કારીગરે તૈયાર કર્યા છે. આ સાથે દાદાને હીરાજડિત મુગટ પણ પહેરાવામાં આવ્યો છે. હરિભક્તના યજમાન પદે આજે દાદાનું રાજોપચાર પૂજન સાંજે 4થી 6:15 વાગ્યા સુધી કરાશે.