શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી દિવાળી તેમજ નવિન વર્ષોના દિવસો દરમ્યાન આરતી–દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર જનતાને નોંધ લેવા લેવા વિનંતી કરાઈ છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
તારીખ 2/11/2024 શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે. દર્શનનો સમય સવારે 6.30થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.
તારીખ 3/11/2024 કારતક સુદ બીજથી તારીખ 6/11/2024 કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30થી 7 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 7થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.
તારીખ 7/11/2024થી આરતી તથા દર્શનનો સમય મુજબ યથાવત રહેશે. જેમાં આરતીનો સમય સવારે 7.30થી 8 વાગ્યાનો રહેશે. દર્શનનો સમય સવારે 8થી 11.30નો રહેશે. રાજભોગ બપોરે – 12.00 કલાકે, બપોરે દર્શન 12.30થી 16.15 રહેશે. સાંજે આરતીનો સમય 18.30થી 19 તથા સાંજે દર્શન 19 વાગ્યાથી રાતે 21 વાગ્યા સુધીનો સમય રહેશે.