Aaj Nu Rashifal , October 31, 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 31 ઓક્ટોબર ગુરુવારે વિક્રમ સંવત 2380ના આસો વદની અમાસ તિથિ એટલે કે દિવાળી છે. તો ચંદ્રરાશિ તુલા અને રાહુ કાળ બપોરે 15:00થી 16:30 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવાળીનો દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ
આજે દિવાળીના શુભ દિવસે ચિંતાનાં વાદળો હટતા જણાય, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, પરિવાર તરફથી સાનુકુળતા જણાય.
વૃષભ
અવિચારી સાહસ કરવાનુ વિચારવુ નહીં, કૌટુંબિક તણાવનો અંત આવે, દિવસભર વ્યસ્તતાનું પ્રમાણ વધુ જણાય.
મિથુન
રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, નાણાકિય સાહસમાં પત્નીની સલાહ અવશ્ય લેવી, નવા સંબંધો રચાય.
કર્ક
કોઈ કાર્યમાં અવરોધ સર્જાતો જણાય, ગૃહ જીવનમાં સમજણથી કાર્ય કરવું, ખર્ચમાં રાહત જણાય.
સિંહ
મિલકત અંગેના પ્રશ્નો ધેરાતા જણાય, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ, યાત્રા-પ્રવાસમાં સામાન્ય અવરોધ જણાય.
કન્યા
કાર્યક્ષેત્રની બાબતે પ્રશ્નો હલ થતા જણાય, આર્થિક સમસ્યાનો હલ જોવા મળે, જૂના સંબંધો ફરીથી તાજા થાય.
તુલા
પોતાની વાત વિચારીને મૂકવી, કાર્યક્ષેત્રમાં મતભેદથી દૂર રહેવું, કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગથી સાવધ રહેવું.
વૃશ્રિક
પારિવારિક શાંતિ જળવાઈ રહેશે, ઉતાવળીયો નિર્ણય નુકસાન કરાવી શકે છે, નવા કાર્યનો શુભારંભ સંભવ.
ધન
જીવન બંધાયેલુ હોય તેમ અનુભવ થાય, નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, મનમાં ઘડેલી યોજનાઓને અમલ માં મૂકી શકાશે.
મકર
સકારાત્મક દ્રષ્ટિકોણ આપના સફળતા આપાવે, મનની ચિંતા હળવી થતી જણાય, આર્થિક પ્રગતિ જણાય.
કુંભ
મનોવાંછિત પરિણામની પ્રાપ્તિ સંભવ, કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, ગૃહજીવનમાં મનભેદ ટાળવા.
મીન
સામાજિક કાર્યોમાં સમય વધારે જતો જણાય, કાર્યક્ષેત્રનાં પ્રશ્નોનું મધુર ફળ આવતુ જણાય, આર્થિક ઉતાર ચઢાવ સંભવ.