ISKCON Temple Property Dispute: બેંગલુરુનું પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી બેંગલુરુનું હોવાનો નિર્ણય સુપ્રિમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. સુપ્રીમના નિર્ણય બાદ ઈસ્કન બેંગલુરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના લાંબા સમયથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
જસ્ટિસ એ.એસ.ઓકા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેંચે આ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈસ્કોન બેંગલુરુની અરજીનો સ્વીકાર કર્યો છે. જેમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. સરખા નામ અને આધ્યાત્મિકમિશનવાળી બે સોસાયટીઓ વિવાદમાં ફસાઈ હતી.
કર્ણાટકમાં નોંધાયેલ ઈસ્કોન બેંગલુરુનો દાવો છે કે, તેઓ દશકોથી સ્વતંત્ર રૂપથી કામ કરી રહ્યાં છે. જ્યારે, 1860ના નેશનલ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ અને 1959 બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ઈસ્કોન મુંબઈએ મિલકત પર હકનો દાવો કર્યો હતો.