Gujarat24  /  India  /  

ઓપરેશન સિંદૂર અંગે પાકિસ્તાનની મોટી કબૂલાત, બ્રહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર AWACS અને જેટનો ખાતમો થયો

ભારત અને પાકિસ્તાન વચ્ચે મે 2025માં ઊભા થયેલા તણાવ દરમિયાન ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સૈન્ય છાવણીઓ પણ હુમલા કર્યા હતા. આ હુમલામાં બહ્મોસ મિસાઇલોનો ઉપયોગ કરાયો હતો. પાકિસ્તાને હવે કબૂલ કર્યું છે કે, બહ્મોસ મિસાઇલ હુમલામાં તેના ભોલારી એરબેઝને ભારે નુકસાન થયું છે અને તેના AWACS અને જેટ વિમાનો નષ્ટ થઈ ગયાં છે. આ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાં હોવાની કબૂલાત કરી છે.

એક રિટાયર્ડ પાકિસ્તાની એરમાર્શલ અને સિંધના મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે આ હુમલામાં પાકિસ્તાનના એક મહત્ત્વપૂર્ણ AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ) વિમાન નષ્ટ થઈ ગયાં અને ઘણા કર્મીઓ માર્યા ગયા. પાકિસ્તાનના રિટાયર્ડ એરમાર્શલ મસૂદ અખ્તરે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું કે ભારતના બહ્મોસ હુમલામાં ભોલારી એરબેઝ પર એક AWACA વિમાન સંપૂર્ણ નષ્ટ થઈ ગયું. તેમણે જણાવ્યું કે ભારતે ચાર બહ્મોસ મિસાઈલો છોડી હતી, જેમાંની ચોથી મિસાઇલે એરબેઝના હેંગરને ટાર્ગેટ કર્યું હતું. જ્યાં AWACA અને શક્ય છે કે એક એફ-૧૬ ફાઈટર જેટ હતું. સેટેલાઈટ તસવીરોથી ખબર પડે છે કે હેંગરમાં આગ લાગી અને વિમાન સળગી ગયાં. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલીશાહે પણ આ હુમલાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, ભોલારી એરબેઝ પરના ભારતના હવાઈ હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાં, જેમાં છ પાકિસ્તાની વાયુસેનાના તકનીકી કર્મી હતા.

એરબેઝને થયું નુકસાન
સેટેલાઈટ તસવીરો અને સમાચારો અનુસાર, ભોલારી એરબેઝ પર એક મોટું હેંગર નષ્ટ થઈ ગયું હતું. જેમાં 60 ફૂટ પહોળું બાકોરું પડી ગયું. આ હેંગર AWACA જેવા મોટા વિમાન રાખવાના ઉપયોગમાં લેવાતું હતું. આ ઉપરાંત રનવે અને અન્ય મૂળભૂત માળખાને પણ નુકસાન થયું. એક F-16ને પણ આગથી નુકસાન થયું હતું.