Gujarat24  /  Gujarat  /  Ahmedabad  /  

Nalsarovar Bird Sanctuary: નળ સરોવરમાં દુર્લભ ગણાતું પક્ષી સબાઈન ગુલ જોવા મળ્યું, છેલ્લે 2013માં કેરળમાં જોવા મળ્યું હતું

Nalsarovar Bird Sanctuary News: ગુજરાતના પક્ષી તીર્થ ગણાતા નળસરોવરમાં પક્ષીવિદો માટે એક રોમાંચક ઘટના બની છે. નળસરોવરમાં દુર્લભ ગણાતું સબાઇન ગુલ પક્ષી જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં સબાઇન ગુલ છેલ્લે વર્ષ 201૩માં કેરળમાં જોવા મળ્યું હતું. મહત્ત્વનું છે કે, અમદાવાદ નજીક આવેલુ! નળસરોવર ગુજરાત સહિત દેશભરના પક્ષી પ્રેમીઓમાં તે આગવું મહત્વ ધરાવે છે.

આ પ્રજાતિ ઉત્તર અમેરિકા, ગ્રીનલેન્ડ અને સાઇબેરિયાના ઉચ્ચ-અક્ષાંશ આર્કટિક પ્રદેશોમાં પ્રજનન કરે છે, જે જળાશય કિનારાની નજીક માળો બનાવે છે. તે મુખ્યત્વે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના પશ્ચિમ કિનારાના સમૃદ્ધ દરિયાઈ વિસ્તારોમાં શિયાળો ગાળવા માટે લાંબા અંતરનું સ્થળાંતર કરે છે. મહત્વની વાત એછેકે, સેબાઈન ગુલનો કોઈ નિયમિત ફ્લાય-વે નથી.

નળ સરોવર ભારતના સૌથી મોટા અને ઈકોલોજીકલી મહત્વપૂર્ણ જળાશય અભયારણ્યોમાંનું એક છે. જે ફ્લેમિંગો, પેલિકન, બતક અને વેડર્સની અસંખ્ય પ્રજાતિઓ સહિત સ્થળાંતર કરનારા અને સ્થાનિક પક્ષીઓ માટે આશ્રયસ્થાન બની રહ્યું છે. જ્યાં સેબાઈન ગુલે દેખા દેતા નળ સરોવરની વૈશ્વિક પક્ષી સ્થળ તરીકે વધારો થયો છે.