Gujarat24  /  Gujarat

વિમાન દુર્ઘટના: ડીજીસીએએ એર ઇનિ્ડયા સામે કડક કાર્યવાહી કરી, ૩ અધિકારીઓને હટાવવાનો આદેશ આપ્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ શનિવારે એર ઇન્ડિયાના ક્રૂ શેડ્યૂલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.આ અધિકારીઓમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિન્કી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યૂલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યૂલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ શનિવારે એર…

Read More

મૃતકોના પાર્થિવ દેહના અંતિમ સંસ્કારથી લઈને અન્ય પ્રકિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લા વહીવટી તંત્ર પરિવારજનોની પડખે રહેશે: જિલ્લા કલેકટરશ્રી

જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ કલેકટર કચેરી ખાતે બેઠક યોજીને અધિકારીઓને આપ્યું જરૂરી માર્ગદર્શન જિલ્લાના પ્રાંત અધિકારી સહીતના ઉચ્ચ અધિકારીઓને દિવસમાં સવાર-સાંજ એમ ૨ ટાઇમ મૃતકોના સ્વજનોની મુલાકાત લેવા અનુરોધ જિલ્લા કલેકટર કચેરી ખાતે નોડલ અધિકારી તરીકે મિતાબેન ડોડીયાની નિમણૂક**આણંદ, શનિવાર:: તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનાની ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા….

Read More

અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના ૩૩ મુસાફરોના મૃતદેહ લાવવા માટે કુલ ૧૯ એમ્બ્યુલન્સ વાન સિવિલ હોસ્પિટલ અમદાવાદ પહોંચી

આણંદ, શનિવાર : તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મૃૃૃૃૃૃતકોના પરિવારજનોના ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની ઓળખ કરીને તેમના મૃતદેહોને અમદાવાદ ખાતેથી આણંદ સુધી લાવવામાં આવશે. આ માટે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાના…

Read More

ક્રેશના 28 કલાક પછી બ્લેક બોક્સ રિકવર થયું, બોઇંગ ડ્રીમલાઇનર પર કડક માર્ગદર્શિકા વિમાન ક્રેશના મુખ્ય અપડેટ્સ

અકસ્માતના 28 કલાક બાદ એર ઇન્ડિયાના વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું છે. હવે તેના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને અકસ્માતનું કારણ શું હતું તે નક્કી કરવામાં આવશે. આ સાથે જ ડીજીસીએએ ભારતીય એરલાઇન કંપનીઓને સુરક્ષા તપાસ વધારવા માટે કડક સૂચના આપી છે. ખાસ કરીને બોઇંગ 787 ધરાવતી એરલાઇન કંપનીઓને વધુ ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું…

Read More

ફિઝિક્સવાલાહ વિદ્યાપીઠની વિજય યાત્રા 2025 JEE એડવાન્સ્ડના સિદ્ધહસ્તોની ઉજવણી, એર 3 સહિત ટોપ 100માં 4 વિદ્યાર્થી

Gandhinagar News: ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા ટોપ 100માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે JEE એડવાન્સ્ડ 2025નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાહના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા 2025 થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી. વિજય યાત્રા એ JEE એડવાન્સ્ડનાં પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે. પીડબ્લ્યુના ઉચ્ચ સિદ્ધહસ્તોમાં માજીદ હુસૈન (એર 3),…

Read More

વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રિપાંખિયો ચૂંટણી જંગ, જાણો કોની થઈ શકે છે જીત

જૂનાગઢ જિલ્લાની એકમાત્ર એવી બેઠક જ્યાં સૌથી વધુ પાટીદારના એક લાખ કરતા વધુ મતો છે. જેથી આ બેઠક ઉપર ૨૦૨૫ માં ભાજપ-કોંગ્રેસ અને આપે ત્રણેયે પોતાના ઉમેદવાર પટેલ જ્ઞાતિમાંથી પસંદ કર્યા છે. ભાજપે ફરી બેઠક કબજે કરવા સહકારી ક્ષેત્રના આગેવાન એવા પૂર્વ ભાજપ પ્રમુખ કિરીટ પટેલને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે નવા ચહેરા તરીકે…

Read More

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં વરસાદની આગાહી, 30થી 40ની સ્પીડે પવન ફૂંકાઈ શકે

આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં આવતીકાલે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે અન્યત્ર જ્યાં હળવા વરસાદની સંભાવના છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ,…

Read More

અમદાવાદમાં પ્રેમિકાએ પ્રેમીને લૂંટી લીધો, વેપારીને રિવરફ્રન્ટ પર ફરવા લઈ જઈ લાખો રૂપિયા પડાવ્યા, સામે આવ્યું ચોંકાવનારું કારણ

શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી…

Read More

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં વકીલ અને પોલીસ સામસામે, વકીલને મહિલા પોલીસ અધિકારીએ લાફા ઝીંકી દેવાના આક્ષેપ સાથે કોર્ટ સંકુલમાં હોબાળો

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોલીસે વકીલને થપ્પડ માર્યાનો આરોપ લગાવાયો છે. અહીંની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો આમને સામને થઈ ગયા હતા. વકીલે ગંભીર આક્ષેપો કર્યા કે પીઆઈસીએચ આસોદરાએ તેમને બે લાફા જીક્યા હતા. મળતી માહિતી મુજબ, અમદાવાદના વકીલ શેખ મહમ્મદ આદિલ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટ પહોંચ્યા હતા. બાદમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ મહિલા પીઆઈ…

Read More

અમદાવાદના જૂના વાડજમાં અડધી રાતે પુત્રની સામે જ માતાની હત્યા, બે અજાણ્યા શખ્સોએ પુત્રને પણ છરી મારી

જુના વાડજમાં પુત્રની નજર સામે જ મધરાત્રે માતાની હત્યા કરી બે શખ્સો પલાયન થઈ ગયાંની ફરિયાદ નોંધી વાડજ પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે. બે ભેદી હુમલાખોરોએ છરી મારતાં આઈટી ડેવલોપર તરીકે કાર્યરત પુત્ર આશિષ ઓડને પેટમાં ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, જુના વાડજ ઓડ વણઝારાના ટેકરામાં રહેતા 27 વર્ષના આશિષ રતિલાલ ઓડ શાહીબાગની…

Read More