Gujarat24  /  Gujarat  /  

વિમાન દુર્ઘટના: ડીજીસીએએ એર ઇનિ્ડયા સામે કડક કાર્યવાહી કરી, ૩ અધિકારીઓને હટાવવાનો આદેશ આપ્યો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ શનિવારે એર ઇન્ડિયાના ક્રૂ શેડ્યૂલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે.આ અધિકારીઓમાં ચુરા સિંહ (ડિવિઝનલ વાઇસ પ્રેસિડેન્ટ), પિન્કી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યૂલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યૂલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ શનિવારે એર ઇન્ડિયા સામે કડક વલણ અપનાવ્યું હતું અને ક્રૂ શેડ્યૂલિંગ વિભાગના ત્રણ વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો.ઉડ્ડયન સલામતી પ્રોટોકોલના ગંભીર ઉલ્લંઘન માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.જે અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે તેમાં ચુરા સિંહ (વિભાગીય ઉપાધ્યક્ષ),પિન્કી મિત્તલ (ચીફ મેનેજર – ક્રૂ શેડ્યૂલિંગ) અને પાયલ અરોરા (ક્રૂ શેડ્યૂલિંગ – પ્લાનિંગ)નો સમાવેશ થાય છે.ડીજીસીએએ સ્પષ્ટ કર્યું કે આ અધિકારીઓને ક્રૂ શેડ્યૂલિંગની જવાબદારીમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે.