ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ LIVE News: ઇરાન અને ઇઝરાયલ સતત એકબીજા પર મિસાઇલોથી હુમલો કરી રહ્યા છે. તેલ અવીવ, હાઇફા અને પેટાહ ટિકવા પર ઇરાની હુમલામાં અનેક લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. પોતાનો જીવ ગુમાવનારા ઇઝરાઇલી નાગરિકોની સંખ્યા ૨૨ પર પહોંચી ગઈ છે. આ સાથે જ ઈઝરાયેલી હુમલામાં માર્યા ગયેલા ઈરાનના નાગરિકોની કુલ સંખ્યા વધીને લગભગ 224 થઈ ગઈ છે.
ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ LIVE અપડેટ્સ: ઇઝરાયેલ-ઇરાન સંઘર્ષ મંગળવારે પાંચમાં દિવસમાં પ્રવેશી ગયો છે. સોમવાર-મંગળવારની વચ્ચેની રાત્રે બંને દેશોએ એકબીજા પર મિસાઇલ છોડી હતી. આ દરમિયાન ભારતે ઈરાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે મિશન રેસ્ક્યુ શરૂ કરી દીધું છે. 110 ભારતીયોની પહેલી ટુકડી ઈરાનથી આર્મેનિયા પહોંચી છે, જ્યાંથી આ તમામ લોકોને ભારત પરત લાવવામાં આવશે. આ ઉપરાંત ભારતના વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે.
આ પહેલા કેનેડામાં આયોજિત જી-7 સમિટમાં ભાગ લેનારા નેતાઓએ એક સંયુક્ત નિવેદન જારી કરીને મધ્ય પૂર્વના સંકટ પર ચિંતા વ્યક્ત કરી હતી. જી-7ના નેતાઓએ ઇરાન પર તણાવ ઓછો કરવાની હાકલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે ઇઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જી-7 દેશોની સ્થિતિ હંમેશાથી સ્પષ્ટ રહી છે કે ઇરાન ક્યારેય પરમાણુ હથિયાર મેળવી શકશે નહીં. જી ૭ નેતાઓએ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઇરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે આ મિસાઇલ તેમના બેડરૂમની બારી સાથે અથડાઇ હતી. તેમણે ઇરાનના પરમાણુ કાર્યક્રમને નિશાન બનાવવાનું ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ ખામેનીએ ઇઝરાઇલ પર રહેણાંક વિસ્તારો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે અને “કડક સજા” ની ધમકી આપી છે. ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને ચેતવણી આપી હતી કે તેહરાનને ટૂંક સમયમાં કિંમત ચૂકવવી પડશે.