Vrishchik Rashifal 2025 Vikram Samvat 2081: દિપોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 2 નવેમ્બર 2024ના રોજથી વિક્રમ સંવત 2081નો પ્રારંભ થઈ રહ્યો છે આ સાથે જ ગુજરાતીઓનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ આખું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે તેના વિશે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક પુરોહિતે જણાવ્યું છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
વૃશ્ચિક રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ
જય શ્રી કૃષ્ણ, વર્ષના આરંભે ગુરુ મહારાજ વૃષભ રાશિમાં વક્રી હોવાથી આપની રાશિથી સાતમા સ્થાને ભ્રમણ કરે છે અને જે 4-2-2025થી માર્ગી થશે અને 14-5-2025થી મિથુન રાશિમાં આવશે તથા વર્ષની શરૂઆતમાં કુંભ રાશિમાં વક્રી ગતિ ગતિથી ભ્રમણ કરે છે તે તમારી રાશિથી ચોથા સ્થાને છે અને 15-11-2024થી માર્ગી થશે તથા 29-3-2025થી મીન રાશિમાં આવશે ત્યારે તમારી રાશિથી પાંચમા સ્થાને રહેશે. જ્યારે વર્ષના આરંભે રાહુ મીન રાશિમાં છે જે આપની રાશિ થી પાંચમા સ્થાને રહે અને 18-5-2025થી કુંભમાં આવે છે અને જે આપની રાશિથી ચોથા સ્થાને રહેશે.
વર્ષ દરમ્યાન માન–પ્રતિષ્ઠા મળશે તથા પિતરાઈ ભાઈ-બહેનો તરફથી મદદ-માર્ગદર્શન મળવાના શુભ યોગો બને પરંતુ વાદ–વિવાદથી દૂર રહેવું અને કોર્ટ–કચેરીનાં કામકાજોમાં સફળતા મળશે. અતિવિશ્વાસથી કાર્ય ન કરવું તથા વર્ષ દરમ્યાન રોકાણ કરવાનાં યોગો છે અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે.વર્ષદરમ્યાન માંગલિક કાર્યો થાય અને દાંપત્ય જીવન સુખમય રહે. અવિવાહિતો માટે ઉત્તમ યોગ છે. પરદેશથી શુભ સમાચાર કે આર્થિક સહયોગ મળી રહે, આહારની બેદરકારીથી આરોગ્ય બગડશે માટે આરોગ્યની કાળજી લેવી. નોકરી–ધંધા માટે પ્રયત્નશીલ રહેશો અને મિલકત પ્રાપ્ત કરી શકશો. લાંબા ગાળાનાં પ્રવાસો થાય. વિદ્યાર્થીઓ ઊચ્ચ પરિણામ પ્રાપ્ત કરી શકશો તથા અભ્યાસમાં સમય સાનુકૂળ અને પ્રગતિસુચક ગણાય.
સંક્ષિપ્ત માં, ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમિયાન મહત્વના કર્યો પાર પડતા જણાય પરંતુ માર્ચ એપ્રિલ દરમિયાન અવરોધ ઉભા થાય. ફેબ્રુઆરીથી જૂન માસ હોય દરમિયાન આર્થિક પ્રશ્ન વિશેષ સાચવવું અને એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન વાદ-વિવાદથી દૂર રહેવું હિતાવહ રહે. સપ્ટેમ્બર બાદ કાર્યક્ષેત્રે મધુર પરિણામ ચાખવા મળે.
મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીનનું વાર્ષિક રાશિફળ વાંચવા અહીં ક્લિક કરો.