Aaj Nu Rashifal, October 27 , 2024:
આજે ગુજરાતી પંચાંગ મુજબ, 27 ઓક્ટોબર રવિવારે વિક્રમ સંવત 2380ના આસો વદની અગિયારસ તિથિ છે. તો ચંદ્રરાશિ સિંહ અને રાહુ કાળ બપોરે 03:15થી 05:39 સુધી રહેશે. ત્યારે શાસ્ત્રી ડૉક્ટર ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે, આજે તમામ રાશિના જાતકો માટે દિવસ કેવો રહેશે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મેષ (Aries)
આજે રવિવારના દિવસે આર્થિક પ્રશ્નોમાં આશાનું કિરણ જણાય, સામાજિક કાર્યો પાર પડતા જણાય તથા માંગલિક પ્રસંગોનું આયોજન સંભવ.
વૃષભ (Taurus)
મનનાં મનોરથો ફળતા જણાય, વિરોધી સામે પ્રગતિ જણાય તેમજ જીવનસાથીથી સહયોગ અને સ્નેહ મળી રહે.
મિથુન (Gemini)
મહત્વ કાર્યો પૂરા કરવાનો પ્રયાસ કરશો, ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે અને વિવાદથી અંતર જાળવવું.
કર્ક (Cancer)
સામાજિક સંબંધોમાં ઊંધા પાટા ન બાંધાય તેની કાળજી રાખવી, ધાર્યું કામ આગળ વધતું જણાય તેમજ સ્વાસ્થ્ય સારું.
સિંહ (Leo)
પારિવારિક સમય અતિ મધુર જણાય, કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી જણાય તેમજ રોજીંદા કામોથી લાભ જણાય.
કન્યા (Virgo)
વૈચારિક મતભેદથી સાચવવું, કાર્યક્ષેત્રમાં આપની વફાદારીનું ઉત્તમ ફળ ચાખવા મળે તથા પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
તુલા (Libra)
સામાજિક માન સમ્માન વધે, ખર્ચ ઓછા કરવાના પ્રયત્ન કરવા અને વિલંબમાં પડેલા કાર્ય આગળ વધતા જણાય.
વૃશ્ચિક (Scorpio)
પોતાના વિચારોને અમલ કરાવવામાં વધુ જીદ ના કરવી, પારિવારિક શાંતિ જળવાઈ રહેશે તથા ભાવી યોજનાઓ બનાવાય.
ધન (Sagittarius)
વાણી સાચવીને વાપરવી હિતાવહ, સામાન્ય નાણાકીય ભીડ જણાય અને દિવસ ધીરજતાથી પસાર કરવો હિતાવહ.
મકર (Capricorn)
કાર્યક્ષેત્રમાં સાવધ રહેવું જરૂરી, નકારાત્મક વિચારોને દુર રાખવા તથા મોસાળપક્ષથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.
કુંભ (Aquarius)
મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય, પારિવારિક માધુર્યતા જળવાઈ રહે સાથે જ કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને.
મીન (Pisces)
ધીરજના ફળ મીઠાએ ધ્યાનમાં રાખીને આગળ વધવું હિતાવહ, પારિવારિક મધુરતા જળવાઈ રહેશે તેમજ પર્યટનનું આયોજન સંભવ.