Anand: ગોકુલધામ-નાર ખાતે અતિવૃષ્ટિ સેવા સન્માન સમારોહનું આયોજન કરાયું, 60થી વધારે અધિકારીઓને સન્માનિત કર્યા

Anand News: અતિવૃષ્ટિ જેવી મુશ્કેલીનાં સમયમાં અસરગ્રસ્ત લોકોને સેવા અને મદદ પૂરી પાડવા માટે અનેક સ્વયંસેવકો, સંસ્થાઓ અને સરકારી તંત્રોએ સતત કામ કર્યું છે. સોજિત્રા મત વિસ્તારમાં આવેલ સોજિત્રા, પેટલાદ અને તારાપુરના સરકારી તંત્ર દ્વારા અતિવૃષ્ટિમાં કરવામાં આવેલ સેવા અને સમપર્ણ-ભાવનાને સન્માનિત કરવા માટે સોજિત્રા મત વિસ્તારના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ દ્વારા અતિવૃષ્ટિ સેવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

આ સમારોહમાં 60 કરતા વધારે અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતા જેમાં જિલ્લા કલેક્ટર પ્રવિણભાઈ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, પ્રાંત અધિકારી પેટલાદ અને ખંભાત, વિપુલભાઈ પટેલ-સોજિત્રા ધારાસભ્ય, દિલિપભાઈ પટેલ, મદારસિંહ શિણોલ, ઠાકોરભાઈ પટેલ અને અન્ય સરકારી અધિકારીઓ તથા રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગોકુલધામ નારના ગુરુવર્ય મોહનપ્રસાદદાસજી અને શુકદેવપ્રસાદદાસજીએ સૌને અવિરત સેવાકાર્યોમાં જોડાયેલા રહે તેવા આશિર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *