Junagadh: ગિરનારની સીડી ઉપર યુવકનું હાર્ટએટેકથી મોત, પર્વત ચડતી વખતે હૃદય થંભી ગયું

Junagadh News: ગિરનાર પર્વત પર ગઈકાલે સવારે ગીર ગઢડાના એક યુવકનું ગિરનારના પગથિયા ચડતી વખતે હૃદય રોગના હુમલાથી અવસાન થયું હતું. ગિરનારના 200 પગથિયાં પર પહોંચતા જ યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. યુવકના મૃતદેહને ડોળી મારફતે તળેટી સુધી લાવવામાં આવ્યો હતો.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

વિગતો મુજબ, ગીર ગઢડાના તાલુકાના વડવિયાળા ગામના મનુ વિજાણંદભાઈ રામ (ઉંમર 40) ગિરનાર પર્વત ચઢતી વખતે 200 પગથિયાં પર બેભાન થઈ ગયા હતા. ડોળી મંડળ અને સ્થાનિક વેપારીઓની સહાયથી તેમને તાત્કાલિક તળેટી પર લાવવામાં આવ્યા. ત્યારબાદ, ભવનાથ પોલીસ દ્વારા તેમના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ હૃદય રોગને કારણે તેમના મોતની પુષ્ટિ કરી હતી. પોલીસ દ્વારા યુવકના મોતની તપાસ અને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *