Gandhinagar News: આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે. ત્યારે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે તેમને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળ્યા હતા અને જન્મ દિવસ શુભેચ્છાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે પૂજ્ય દાદા ભગવાનનું જ્ઞાની પુરુષ નામનું પુસ્તક જન્મદિવસ ભેટ રૂપે અર્પણ કર્યું હતું.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા આપતી એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના વડાપ્રધાન સુધીનું આપનું પરિશુદ્ધ જાહેરજીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા, આપત્તિને ભગીરથ પુરુષાર્થ થકી અવસર બનાવવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્રોત છે.
તેજ ગતિએ વિકાસની સાથોસાથ ભારતીય સંસ્કૃતિ અને વિરાસતના સંવર્ધનની આપની કાળજીએ આજે ભારતને વિશ્વના દેશોમાં ગૌરવપૂર્ણ ઓળખ અપાવી છે. અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણના આપશ્રીના લક્ષ્યમાં આહુતિ આપવા આજે દેશનો જન-જન ઉત્સુક બન્યો છે.
ઈશ્વર સમક્ષ આપશ્રીના યશકીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરું છું.