Gandhinagar News: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોના એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરીને ધુળેટીની રજા બદલવામા આવી છે. રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા 14 નવેમ્બરે જાહેર કરેલ રજાઓની યાદીમં ધુળેટીની રજા 14 માર્ચના આપવામાં આવી છે. જેથી એકેડેમિક કેલેન્ડરમાં સ્કૂલોને અપાયેલી 15 માર્ચની રજા બદલાઈ છે.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
મહત્ત્વનું છે કે, બોર્ડ દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને સ્કૂલોને નવી રજા અંગે જાણ કરવા આદેશ કરાયો છે. જે મુજબ સ્કૂલોમાં 15 માર્ચને બદલે હવે 14 માર્ચે ધુળેટીની જાહેર રજા રહેશે.