India England ODI: આજની ત્રીજી વન ડે મેચ માટે AMTS 104 બસો દોડાવાશે, જાણો કયાં 5 રુટ પર આ બસ દોડશે અને કેટલું હશે ભાડું

Ahmedabad News: AMTS દ્વારા આવતીકાલે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર યોજાનાર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ માણવા માટે શહેરીજનોને બસ સુવિધા પૂરી પાડવામાં આવશે. આવતીકાલની ડે નાઈટ મેચ હોવાથી રાત્રે 10.00 વાગ્યા બાદ મેચ પૂર્ણ થયા પછી પ્રેક્ષકો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકે તેના માટે રાત્રે ઘરે પરત ફરવા માટે નાઈટ – રાત્રિની 25 AMTS બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. AMTS દ્વારા ક્રિકેટ રસિયાઓ માટે દિવસે 79 અને રાત્રે 25 સહિત કુલ 104 બસ દોડાવવામાં આવશે.

સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી વાસણા, ઓઢવ, મણિનગર, નારોલ અને ઉજાલા સર્કલ એમ પાંચ રૂટ ઉપર વધારાની બસો દોડાવવામાં આવશે. જેમાં કોઈપણ સ્થળે જવા પ્રતિ પેસેન્જર 20 રૂપિયા ભાડું રહેશે. રાત્રે 12 વાગ્યા સુધી આ પાંચ રૂટ ઉપર કુલ ૨૫ બસો દોડશે. ઉપરાંત ચાંદખેડાથી વિવિધ 13 વિસ્તારોમાં જતી AMTSની 79 બસો પણ રાત્રે 11 વાગ્યા સુધી દોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *